નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના નાંગલોઈની શ્યામ રસોઈમાં ફક્ત એક રૂપિયામાં ભોજનની થાળી (One Rupee food plate)  મળે છે. આ થાળીમાં પનીર, મખની, અને મીઠાઈ પણ સામેલ છે. આ થાળીને દિલ્હીની સૌથી સસ્તી થાળી ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LTC કેશ વાઉચર સ્કીમનો લાભ ઉઠાવતા પહેલા આ 3 જરૂરી વાત ખાસ જાણો 


એક રૂપિયામાં મળે છે ભોજનની સજાવેલી થાળી
દિલ્હીના નાંગલોઈમાં ભૂતોવાળી ગલીમાં શ્યામ રસોઈ નામથી પ્રખ્યાત આ દુકાન પર એક રૂપિયામાં ભરપેટ ભોજન અપાય છે. ખાવાનું પણ કોઈ સાદું નહીં પરંતુ એકદમ સજાવેલું ભોજન. અહીં લોકો ભોજન માટે લાઈન લગાવે છે. લોકોનું કહેવું છે કે આ ભોજન 5 સ્ટાર કરતા પણ સારું છે. 


TRP કૌભાંડ બાદ BARC એ લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગતો


કોરોનાકાળમાં લોકોને મદદ કરવા શરૂ કરાયું રસોડું
આ રસોડાની શરૂઆત એક મહિના પહેલા કરવામાં આવી હતી. જેને ચલાવનારા પ્રવીણ ગોયલનું કહેવું છે કે આ થાળી માટે એક રૂપિયો એટલા માટે લેવામાં આવે છે કારણ કે જેથી કરીને લોકો ભોજનની કદર કરે અને ભોજનને બરબાદ ન કરે. કોરોનાકાળમાં અનેક લોકો આર્થિક રીતે પરેશાન છે. આ કારણે લોકોને ઓછા પૈસામાં ભોજન આપવા માટે આ રસોડું ખોલવામાં આવ્યું છે. લોકો પાસેથી થાળીના બદલે જે એક રૂપિયો લેવામાં આવે છે તેનાથી કારીગરોનું વેતન નીકળી જાય છે. 


કોંગ્રેસના નેતાએ કુંભમેળા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-સરકારી ખર્ચે આયોજન કેમ?


અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહે છે દુકાન
પ્રવીણ ગોયલના જણાવ્યાં મુજબ આ રસોડું અઠવાડિયામાં સાતેય દિવસ ખુલ્લું રહે છે. દરરોજના લગભગ 1000 લોકો અહીં ખાવાનું ખાય છે. ભોજનની લાઈનમાં ઊભેલા લોકોને તેઓ વારંવાર અપીલ કરે છે કે ભોજન બરબાદ ન કરે. આ માટે તેમણે પોસ્ટર પણ લગાવી રાખ્યા છે જેમાં લખ્યું છે કે ખાવાનું બરબાદ ન કરો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube