નવી દિલ્હી : All party meeting on India China Face Off ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા વિવાદો અને હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા ભારતનાં 20 જવાનો મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં આશરે 20 રાજનીતિક દળોનાં પ્રતિનિધિ દળોનાં પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ભારત ભારત-ચીન બોર્ડર પર હાજર સ્થિતી પર ચર્ચા થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ઘર્ષણ મુદ્દે બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં દળોએ ચીનનાં મુદ્દે સરકારનાં વલણનું સમર્થન કર્યું છે. મોદી મોદી સરકારે જે પ્રકારે પરિસ્થિતીને હેન્ડલ કરી છે તેનાં પ્રતિ સમર્થન વ્યક્ત કર્યું સુત્રો અનુસાર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, સર્વદળીય બેઠક પહેલા જ બોલાવવી જોઇતી હતી. સરકાર એલએસીના મુદ્દે આશ્વાસ આપે. વડાપ્રધાન દ્વારા અને માહિતી આપવામાં આવવી જોઇતી હતી. 

સરકારે જણાવ્યું કે, ચીને એલએસી પર ઘુસણખોરી ક્યારે કરી ? અણે હજી પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે કેટલાક ખાસ સવાલ છે કઇ તારીખે ચીને સેનામાં ઘુસણખોરી કરી. અમને હજી પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં કેટલાક ખાસ સવાલ છે, કઇ તારીખે ચીની સેનાએ ઘુસણખોરી કરી. સરકારને ક્યારે માહિતી મળી કે ઘુસણખોરી થઇ, શું સરકાર સેટેલાઇટ તસ્વીરો દ્વારા માહિતી નથી મળી, શું ગુપ્તચર એજન્સીઓ ચીની મુવમેન્ટની માહિતી આપવામાં નિષ્ફળ રહી. 

સુત્રોનું કહેવુ છે કે, ચંદ્રશેખ રાવ, નવીટ પટનાયકે સોનિયા ગાંધીનાં વિચારોને ફગાવ્યા. સુત્રો અનુસાર લેફ્ટ પાર્ટીઓએ ચીનની ટીકા કરાનું ટાળ્યું હતું. ભારત-ચીન સીમા મુદ્દે વાડપ્રધાન સાથે સર્વદળીય બેઠકમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાના પ્રમુખ અમે મુક્યમંત્રી પ્રેમસિંગ તમાંગે કહ્યું કે, અમને વડાપ્રધાન પર સંપુર્ણ વિશ્વાસ છે. અતિતમાં પણ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવી, તો વડાપ્રધાને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. 


બીજી તરફ બેઠકમાં રાંકટા પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ મંત્રી શરદ પવારે કહ્યું કે, સૈનિકોએ હથિયાર ઉઠાવ્યા છે કે નહી, તેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સમજુતી દ્વારા થાય છે અને અમે આવા સંવેદનસીલ મુદ્દાઓનું સન્માન કરવાની જરૂર છે. 
સીમા વિવાદ અંગે સીપીઆઇનાં ડી.રાજાએ કહ્યું કે, અમે તેમના ગઠબંધનમાં ખેંચવા માટે અમેરિકી પ્રયાસોનાં વિરોધ કરવાની જરૂરિયાત છે અને સીપીઆઇનાં ડી.રાજાએ કહ્યું કે, અમે તેમનાં ગઠબંધનમાં ખેંચવા માટે અમેરિકી પ્રયાસોનો વિરોધ કરવાની જરૂરિયાત છે અને સીપીઆઇ(એમ)નાં સીતારામ યેચુરીએ પંચશીલનાં સિદ્ધાંતો પર જોર દીધું.

ટીઆરએસ ચીન અને તેલંગાણા સીએમ કેસીઆરે કહ્યું કે, કાશ્મીર અંગે પીએમની સ્પષ્ટતાએ ચીનને નારાજ કર્યુ છે. તેમણે ભારપુર્વક જણાવ્યું કે, વડાપ્રધાનનાં આત્મનિર્ભર ભારતનાં આહ્વાનના કારણે ચીન્ન ગીન્નાયું છે. 


- નિશ્ચિત રીતે ચીન દ્વારા LAC ફર જે કરવામાં આવ્યું છે, તેના કારણે સમગ્ર દેશ ક્રોધિત છે. આ ભાવના આપણી તે ચર્ચા દરમિયાન પણ તમારા બધાના માધ્યમથી વારંવાર દેખાઇ રહી છે. 
- બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. 
- ચીનની સાથે તણાવ મુદ્દે વડાપ્રધાન મોદીની સર્વદળીય બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રપ્રમુખ સોનિયા ગાંધી પણ હાજર છે. 
- હાલમાં સૈન્ય ડગલેને પગલે નજર રાખી રહી છે અને ચીની સૈનિકોને ટોકે છે. અત્યાર સુધી તેમને કોઇ પુછતું જ નહોતું. કોઇ રોકતું ટોકતું જ નહોતું. હવે આપણા જવાનો પગલેપગલે તેમને ટોકે છે. 
- ગત્ત વર્ષોમાં દેશે પોતાની સીમાઓને સુરક્ષીત કરવા માટે બોર્ડર એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી છે. નવા બનેલા ઇંફ્રાસ્ટ્રક્ચરનાં કારણે ખાસ કરીને એલએસીમાં જ્યારે આપણી પેટ્રોલિંગની ક્ષમતા પણ વધી ચુકી છે. 
- જલ-થલ-નભમાં આપણી સેનાઓની દેશની રક્ષા માટે જે કાંઇ પણ જરૂરી છે તે કરી રહી છે. આજે આપણી પાસે આ ક્ષમતા છે કે કોઇ પણ આપણીએક ઇંચ પણ જમીન તરફ આંખ ઉઠાવીને પણ જોઇ શકે તેમ નથી. 
- આપણી સીમામાં ન તો કોઇ ઘુસ્યું છે અને ન તો આપણી પોસ્ટ કોઇનાં કબ્જામાં છે. લદ્દાખમાં આપણા 20 જવાનો શહીદ થયા, પરંતુ જેમણે ભારત માાની તરફ આંખ ઉઠાવીને જોયું છે તેમને સબક શીખવ્યો છે. 
- સર્વદળીય બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત ચીન વિવાદમાં કોઇ પણ પ્રકારનો ઇન્ટેલિજન્સ ફેલ્યોર નથી
- તેલંગાણાના સીએમ કેસીઆરે જાહેરાત કરી કે કર્નલ સંતોષ બાબુનાં પરિવારને 5 કરોડ રૂપિયાની આર્થિક મદદ એક આવાસી પ્લોટ અને તેની પત્નીને ગ્રુપ -1ની નોકરી મળશે. રાજ્ય સરકારે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા અન્ય 19 સૈનિકનાં પરિવારજનો 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.


પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ: મોદી સરકાર દ્વારા થઇ રહેલ ઝડપી કામથી ચીનનાં પેટમાં તેલ રેડાયું


રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓને હાલની સ્થિતી અંગે માહિતી આપી
આ સર્વદળીય બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓને ગલવાનમાં હિંસક ઘર્ષણ બાદ હાલની સ્થિતી અંગે માહિતી આપી હતી. રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓને આ જણાવ્યું કે, ભારતીય સેના સંપુર્ણ તૈયાર છે. 


એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો


સર્વદળીય બેઠકની શરૂઆતમાં શહીદોને આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સર્વદળીય બેઠક થઇ ચુકી છે. આ બેઠકમાં વિપક્ષી દળોનાં નેતાનો સમાવેશ થાય છે. બેઠકની શરૂઆતમાં ચીન સીમા પર શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી પાઠવી છે. 


કોરોના: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની Plasma therapy થી કરાશે સારવાર


સર્વદળીય બેઠકમાં નહી બોલાવામાં આવતા કેજરીવાલે કહ્યું કે આ તેમની મરજી
વડાપ્રધાન મોદીની સર્વદળીય બેઠકમાં આમ આદમી પાર્ટીને નહી બોલાવવા અંગે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. સરર્વદળીય બેઠક અંગે પ્રતિક્રિયા આપી છે. સર્વદળીય બેઠકમાં નહી બોલાવવા અંગે તેમણે કહ્યું કે, આ તેમની મરજી છે. તે અંગે હું કાંઇ જ કહેવા નહી માંગુ. તેમને જે યોગ્ય લાતે તે કરે. પરંતુ અમે દેશની સાથે છીએ સેનાની સાથી છીએ. ચીનને પાઠ ભણાવવો જરૂરી છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube