નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા રાતા પાણીએ રડી રહી છે. આવામાં ભારતીય અર્થવ્યવસ્થાને બચાવવા માટે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 20 લાખ કરોડ રૂપિયાના બાહુબલી આર્થિક પેકેજની જાહેરત કરી. લોકડાઉન 4.0ના સંકેત આપતા તેમણે સાથે સાથે દેશમાં લોકલ-વોકલનો સંદેશ પણ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ ઝડપથી આગળ વધવું પડશે, ફક્ત ઝડપ જ નથી પરંતુ ક્વાન્ટમ જંપ પણ લગાવવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોર્મ્યુલાનો અર્થ એ છે કે હવે ભારતે બીજા દેશો પર પોતાની નિર્ભરતાને પહેલા કરતા ઓછી કરવી પડશે. દેશમાં હવે સ્થાનિક સ્તરે લોકોને સ્વરોજગાર માટે તક ઉપલબ્ધ કરાવતા તે ક્ષેત્રમાં નિર્મિત સામાનોના ઉપયોગ પર ભાર આપવામાં આવશે. જેથી કરીને ચીની ઉત્પાદનોના દબદબાને ઓછું કરી શકાય. પીએમ મોદીએ આ માટે પીપીઈ કિટનું પણ ઉદાહરણ આપ્યું. 


પીએમ મોદીએ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે ભારત દુનિયા માટે એક બજારની સાથે સાથે સૌથી મોટું ડિમાન્ડનું ક્ષેત્ર પણ છે. તેનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂર છે. 


પીએમ મોદી દ્વારા દેશમાં નિર્મિત ઉત્પાદનોના વધુ ઉપયોગ પર ભાર મૂકવાનું મુખ્ય કારણ ચીન સાથે ભારતના કૂટનિતિક સંબંધો છે. એક બાજુ જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે અને પોતાની અર્થવ્યવસ્થાને બચાવવામાં લાગી છે ત્યાં બીજી બાજુ ચીન બીજા દેશોમાંથી ભારે પ્રમાણમાં નિકાસ દ્વારા કમાયેલી તગડી કમાણીમાંથી પોતાના સિક્રેટ મિશનને અંજામ આપવામાં લાગ્યું છે. 


કોરોના સામેના જંગ વચ્ચે ચીની સેના એક બાજુ મિલેટ્રી ડ્રિલ કરી રહી છે તો ત્યાં બીજી બાજુ પાડોશી દેશો ઉપર ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટરો ઉડાવીને સંબંધોમાં તણાવ પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે. લદ્દાખ અને સિક્કિમમાં પણ ચીની સેના અને ભારતીય સેના વચ્ચે તણાવ પેદા થયો છે. ચીન ક્યારેક એવરેસ્ટ પર 5જી ટેક્નોલોજી  ઈન્સ્ટોલ કરવા લાગે છે. આામાં એશિયામાં ચીનના વધતા દબદબાને ઓછું કરવાની ક્ષમતા ફક્ત ભારતમાં જ છે કારણ કે જો આમ ન થયું તો તેનાથી ભારતના વ્યૂહાત્મક હિતોને નુકસાન થશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube