નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના વાયરસ પર સારા સંકેત આવી રહ્યા છે. નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 55,722 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 75,50,273 થયો છે. જેમાંથી 7,72,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 66,63,608 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 579 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,14,610 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી


અત્યાર સુધીમાં 9,50,83,976 નમૂનાનું પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કુલ 9,50,83,976 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી , 8,59,786 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા હતાં. 


કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube