નવી દિલ્હી : પાકિસ્તાને પુલવામા હુમલાને આતંકવાદી હુમલો માનવાનો ઇન્કાર કરી દીધો છે. આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલામાં જૈશ એ મોહમ્મદની સંડોવણી પર અમારા ડોઝીયર પર પાકિસ્તાનની પ્રતિક્રિયાથી ભારત નિરાશ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને તેનાં નિયંત્રણ વાળા વિસ્તારમાં હાલનાં આતંકવાદીઓની વિરુદ્ધ કરવામાં આવેલી વિશ્વસનીય કાર્યવાહીની માહિતી આપી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનને તેની ધરતીથી સંચાલિત આતંકવાદી સંગઠનોની વિરુદ્ધ તત્કાલ, વિશ્વસનીય, નક્કર અને સત્ય કાર્યવાહી કરવી જોઇએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનને 2004ની પોતાની આ પ્રતિબદ્ધતાનું પાલન કરવું જોઇએ ભારતની વિરુદ્ધ આતંકવાદ માટે સારી ધરતીનું કોઇ પણ પ્રકારે ઉપયોગ નહી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાનો શહીદ થઇ ગયા હતા. 
આતંકવાદીઓની ભર્તી વાળા જૈશના મોબાઇલની માહિતી મળી, NIA ખોલશે મોટા રહસ્યો

પ્રવક્તાએ કહ્યું કે, ભારત આ પહેલા જેવી પટકથાથી કદાચ અચંભિત થશે, જેવું કે અતીતમાં પણ પાકિસ્તાનનું આવુ જ વલણ રહ્યું છે. પછી તે 2008નો મુંબઇ આતંકવાદી હુમલો હોય કે 2016નો પઠાણકોટ આતંકવાદી હુમલો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, ભારતીય દસ્તાવેજોની તપાસ બાદ પુલવામા ઘટના અંગે તપાસનાં પ્રાથમિક પરિણામો ઇસ્લામાબાદ ખાતે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને સોંપવામાં આવ્યો. 


પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું

કમારે કહ્યું કે, પુલવામા હુમલા અંગે પાકિસ્તાન દ્વારા સોંપવામાં આવેલા કાગળની ભારત તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઇસ્લામાબાદે પોતાની સરજમીમાંથી સંચાલિત થનારા આતંકવાદીઓ અથવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે કાંઇ પણ કર્યું છે, તે વિશ્વસનીય કાર્યવાહીનો અહેવાલ આપ્યો છે.