આ ખાસ એપથી આતંકવાદીઓ કરતા ચેટ: NIA તપાસમાં ખુલી ગઇ પોલ

લાલકિલ્લા નજીક ગત્ત દિવસોમાં પકડાયેલા જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી સજ્જાદ ખાનનાં મોબાઇલમાંથી એનઆઇએને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓનાં નેટવર્ક અંગે મહત્વી માહિતી મળી છે

આ ખાસ એપથી આતંકવાદીઓ કરતા ચેટ: NIA તપાસમાં ખુલી ગઇ પોલ

નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને આતંકવાદી સંગઠન જૈશનાં તે મોબાઇલ એપ અંગે માહિતી મળી છે, જેના દ્વારા જૈશ એ મોહમ્મદ આતંકવાદીઓની ભર્તી કરે છે. NIAનાં એપ દ્વારા જૈશ એ મોહમ્મદનાં નેટવર્કને શોધવા માટે અમેરિકન એજન્સીઓ મદદ લેશે. દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત્ત દિવસોથી પકડાયેલા જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી સજ્જાદ ખાનનાં મોબાઇલથી એનઆઇએને કાશ્મીરમાં હાલના આતંકવાદીઓનાં નેટવર્ક અંગે મહત્વની માહિતી છે. એનઆઇએ જ્યાં સજ્જાદની કોલ ડિટેલ્સની માહિતી એકત્ર કરી રહી છે, બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, 'textnow' નામનાં એક ખાસ એપ દ્વારા એક બીજા આતંકવાદીઓનાં સંપર્કમાં હતા. 

એનઆઇએનાં એક અધિકારી અનુસાર, સજ્જાદની પુછપરછમાં મને 'textnow' નામનાં એપની માહિતી મળી છે. જેના દ્વારા સજ્જાદ પુલવામાં હુમલામાં સમાવેશ આતંકવાદીનાં સંપર્કમાં હતા.આ એપનું સર્વર અમેરિકામાં છે. એવામાં આપણે અમેરિકન એઝન્સીઓજનાં ઝડપથી સંપર્ક કરશે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નાં સુત્રો અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ આતંકવાદીઓની ભરતી માટે textnow નામનાં મોબાઇલ એપનો ઉપયોગ કરી રહી છે. દિલ્હીમાં ધરપકડ કરાયેલા જૈશ આતંકવાદી સજ્જાદ ખાન દિલ્હી અને આસપાસ સ્લીપર સેલ બનાવવાનું કાવત્રું રચી રહ્યા હતા. 

NIA સુત્રો અનુસાર જૈશનાં વડાના કહેવા પર સજ્જાદ ખાન પુલવામાં થયેલા હુમલામાં આતંકવાદીઓની ભરતી માટે textnow નામનાં એખ એપ દ્વારા બીજા આથંકવાદીઓનાં સંપર્કમાં હતા. ગુપ્તચર એઝન્સીઓએ textnow નામનાં આ મોબાઇલ એફ પરથી માહિતી મળી હતી, ત્યાર બાદ સજ્જાદ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પુલવામા હુમા બાદ જૈશનાં કમાન્ડર મદાસિર સતત નજર રાખવામાં આવી રહી હતી. પુલવામા હુમલા બાદ જૈશનાં કમાન્ડર મુદાસિર textnow એપ દ્વારા સજ્જાદની મસેજ પણ મોકલતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news