નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતો (corona virus)નો આંકડો 31 લાખને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી 31 લાખ 5 હજાર 185 કેસ સામે આવી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 61 હજાર 749 કેસ સામે આવ્યા છે. તો 56 હજાર 896 લોકો સાજા પણ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 836 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ દેશમાં કોરોના સંક્રમણના મળતા દરમાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈના અંત સુધી દર 100 ટેસ્ટમાં 12થી વધુ દર્દીઓ મળતા હતા, જે હવે સાત મળી રહ્યાં છે. એટલે કે સંક્રમણ દર 6.7 ટકા રહી ગયો છે. તેનું સૌથી મોટું કારણ ટેસ્ટ વધારવા છે. હવે દેશમાં દરરોજ 8થી 10 લાખ લોકોના ટેસ્ટ થઈ રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર