નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ હવે કાબૂમાં આવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 62 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2500થી વધુ લોકોના મોત થયા છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 60,471 કેસ નોંધાયા હતા જ્યારે 2726 લોકોના મૃત્યુ થયા હતા. 


નવા 62 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,224 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,96,33,105 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 8,65,432 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં એક દિવસમાં 1,07,628 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,83,88,100 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube