નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 67,708 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 73,07,098 થયો છે. હાલ દેશમાં 8,12,390 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 63,83,442 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 680 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 1,11,266 પર પહોંચ્યો છે. કોરોના પર એક સારા સમાચાર એ મળી રહ્યા છે કે ભારતમાં કોરોનાના કેસનો ડબલિંગ ટાઈમ (Corona case doubling time) વધીને 70.4 દિવસનો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાએ માનસિક બીમારીને કેસ ડબલ કર્યા, બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ શિકાર


Corona Vaccine: કોરોના રસીની કામગીરી કેટલે પહોંચી, ક્યારથી મળશે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ


Corona Vaccine પર સારા સમાચાર! આ દેશે કોરોનાની બીજી રસીને આપી મંજૂરી


 


ત્રીજા તબક્કાનું પરીક્ષણ બાકી
રશિયાએ  EpiVacCorona રસીનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી)માં કર્યું છે. આ રસીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રાથમિક તબક્કાના માનવ પરીક્ષણને પૂરું કર્યું હતું અને માનવ પરીક્ષણના પરીણામોને પ્રકાશિત કરવાના હજુ બાકી છે. આ બાજુ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી. 


સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ
રશિયન સરકારે જણાવ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે બીજી કોરોના વાયરસ રસી EpiVacCorona રજિસ્ટર્ડ કરી છે. પહેલી રસી Sputnik- V થી અલગ આ રસી સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને એક એન્ટીબોડી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, જ્યારે સ્પુતનિક વી અનુકૂલિત Adenovirus Strainsનો ઉપયોગ કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube