Corona પર ભારતની મોટી જીત, 32 મહિના બાદ આજે દેશમાં એકપણ મોત નહી
Covid-19: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી ગઇ છે. આજે મંગળવારે ભારતે ગત 24 કલાકમાં એક પણ Covid-19 મૃત્યું નોંધાયું નથી. માર્ચ 2020 બાદ આવું પહેલીવાર થયું છે.
Corona Update India: કોરોના કેસ બીજા દેશોમાં ભલે વધી રહ્યા હોય પરંતુ ભારતમાં મહામારીની ચાલ ધીમી પડી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે ગત 24 કલાકમાં દેશમાં 625 કોવિડ-19 ના કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલ 2020 બાદ આટલા ઓછા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 2020 બાદ આ પ્રકારના પહેલાં ઉદાહરણમાં 24 કલાકના સમયગાળામાં એકપણ મોત થયું નથી. સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલા દેશમાં સંક્રમણની સંખ્યા 4,46,62,141 થઇ ગયા છે. જ્યારે સક્રિય કેસ ઘટીને 14,021 થઇ ગયા છે. મૃતકોની સંખ્યા 5,30,509 થઇ છે.
9 એપ્રિલ 2020 ના રોજ એક દિવસમાં 540 નવા કેસ સામે આવ્યા હતા. માર્ચ 2020 બાદથી આ પ્રકારથી પ્રથમ ઘટનામાં દેશમાં ગત 24 કલાકમાં એકપણ મોત થયું ન હોય. કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિ ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ શિકાર થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટના અનુસાર સક્રિય કેસમાં કુલ કેસના 0.03 ટકા સામેલ છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ 19 રિકવરી દર વધીને 98.78 ટકા થઇ ગઇ છે.
Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube