નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 45,720 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાએ 1,129 લોકોનો ભોગ લીધો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 12,38,635 થઈ ગયો છે. જેમાંથી 4,26,167 એક્ટિવ કેસ અને 7,82,606 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં 29,861 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ ICMR દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ બુધવારે ભારતમાં કોરોનાના 3,50,823 ટેસ્ટ કરવામાં આવ્યાં. આ સાથે જ દેશમાં કોરોનાના ટેસ્ટિંગનો આંકડો 1,50,75,369 પર પહોંચ્યો છે. ભારતમાં હાલ કોરોનાના 4,26,167 એક્ટિવ કેસ છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube