નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 74,383 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 70,53,807 પર પહોંચ્યો છે. જેમાંથી 8,67,496 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 60,77,977 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 918 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,08,334 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 લાખ ઉપર થઈ છે જેમાંથી 8.67 લાખ એક્ટિવ કેસ છે. આ બાજુ  દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. એમ્સ (AIIMS) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) એ કહ્યું કે વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ (Pollution) ના સ્તર પર સતર્કતા વર્તવાનું કહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube