નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પંપોર (Pampore) માં સુરક્ષાદળો પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફ (CRPF) ની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube