નવી દિલ્હીઃ શહીદ ભગત સિંહ (Bhagat Singh)ની 113મી જયંતિ પર દિગ્ગજ ગીતકાર અને લેખત જાવેદ અખ્તરના એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ડિબેટ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાવેદ અખ્તરે ભગત સિંહને લઈને ટ્વીટ કર્યુ કે, તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' નામનો એક લેખ પણ લખ્યો હતો. જાવેદ અખ્તરના ટ્વીટ કરતા લોકો વચ્ચે તેને લઈને નવી રીતે ચર્ચા થવા લાગી. તેમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પણ કુદી પડી અને તેમણે જાવેદ અખ્તરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમને નિશાન પર લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાવેદ અખ્તરે ટ્વીટ કર્યુ કે, કેટલાક લોકો ન માત્ર તે તથ્યનો સામનો કરવાનો ઇનકાર કરે છે, પરંતુ તેને બીજાથી પણ છુપાવવા ઈચ્છે છે કે શહીદ ભગત સિંહ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' એક લેખ પણ લખ્યો હતો. તમે અંદાજ લગાવી શકો છો કોણ છે આવા લોકો? મને આશ્ચર્યની વાત છે કે જો ભગત સિંહ આજે હોત તો તેને શું કહીને બોલાવત?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube