નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના જૂના સહયોગી અને ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) નો ઉલ્લેખ કરતા કહ્યુ કે, જો કે કોંગ્રેસમાં હોત તો જરૂર મુખ્યમંત્રી બનત. તેમણે સિંધિયા દ્વારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસ સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, સિંધિયાની સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કામ કરી સંગઠનને મજબૂત બનાવવાનો વિકલ્પ હતો. મેં તેમને કહ્યુ હતુ કે, મહેનત કરો, એક દિવસ મુખ્યમંત્રી બનશો. પરંતુ તેમણે બીજો માર્ગ પસંદ કર્યો.


MPમાં એક દિવસ માટે ગૃહમંત્રી બની કોન્સ્ટેબલ મીનાક્ષી, જનતાની સમસ્યાઓ પર આપ્યા નિર્દેશ


મહત્વનું છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ સાથે ટકરાવ બાદ સિંધિયા 11 માર્ચ 2020ના ભાજપમાં સામેલ થઈ ગયા હતા. સાથે સિંધિયાના સમર્થક 20 કોંગ્રેસ ધારાસભ્યોએ પણ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. તેવામાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની મધ્યપ્રદેશ સરકારે બહુમતી ગુમાવતા રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ જૂન મહિનામાં સિંધિયા ભાજપની ટિકિટ પર રાજ્યસભા સાંસદ બન્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube