બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 14 ધારાસભ્યોની સદસ્યતા રદ કરી નાખવામાં આવી છે. સ્પીકર કે આર રમેશકુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની જાહેરાત કરી. નિર્ણય બાદ સીપીકર રમેશકુમારે કહ્યું કે મેં કોઈ ચાલાકી કે ડ્રામા કર્યો નથી પરંતુ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ભાજપની સરકાર બની છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે સદનમાં બહુમત સાબિત કરવાનો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...