શ્રીનગર: પ્રવાસી કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે સરકાર અને સામાજિક સ્તર પર જે રીતે પ્રયત્નો તેજ થઈ રહ્યાં છે તેને જોતા હવે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ પણ કહેવા લાગ્યા છે કે આ માટે જે મદદની જરૂર હશે તે તેઓ કરવા તૈયાર છે. કોઈ રાજકીય પક્ષ કે સામાજિક ધાર્મિક સમૂહનું પ્રતિનિધિત્વ નહીં કરવાનો દાવો કરતા સતીશ મહાલદારે કહ્યું કે, 'હું હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકને ચાર જુલાઈના રોજ મળ્યો હતો. કેટલાક પ્રવાસી (કાશ્મીરી) પંડિતો પણ સાથે હતાં.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?


તેમણે જણાવ્યું કે, "મીરવાઈઝ ઉમરે સ્વીકાર કર્યો કે કાશ્મીર અને કાશ્મીરી મુસ્લિમ પોતાના પંડિત ભાઈઓ વગર અધૂરા છે અને ભરોસો પણ અપાવ્યો કે અમારી સન્માનપૂર્વક અને સુરક્ષિત વાપસી માટે જે જરૂરી હશે, તે કરીશું." મહાલદારે ખેદ વ્યક્ત કરરતા કહ્યું કે વર્ષોથી કાશ્મીરી પંડિત દેશના રાજનીતિક પટલ પર પિંગ પોંગ બોલ બનેલા છે. 


તેમણે કહ્યું કે અગાઉની એનડીએ સરકારના સમયથી અમે સાંભળતા આવ્યાં છીએ કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની ઘર વાપસી સરકારની ટોચની પ્રાથમિકતા છે. તે સુનિશ્ચિત કરવા માટે અસલમાં ગ્રાઉન્ડ સ્તરે શું થયું? કશું જ નહીં. અમને આશા દેખાડવા માટે કેટલાક દેખાડાના પગલાં લેવાયા. તેમણે કહ્યું કે પંડિતોની વાપસી પ્રદેશ અને કેન્દ્ર સરકારના અલગ નહીં પરંતુ જોઈન્ટ પ્રયત્નો હોવા જોઈએ. મુસ્લિમ હોય કે હિન્દુ, શીખ કે બુદ્ધ, કાશ્મીરોનું દુ:ખ સમાન છે. આપણે બધાએ તે સમજવું પડશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...