નવી દિલ્હી: તામિલની મશહૂર અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar)  કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપ (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ તેમને ભાજપની સદસ્યતા અપાવી. ખુશ્બુ સુંદરે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લેવડાવી. આ અગાઉ તેમણે સોમવારે સવારે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી


શું કહ્યું ખુશ્બુ સુંદરે?
ભાજપમાં જોડાયા બાદ ખુશ્બુએ કહ્યુ કે હું એ આશા નથી રાખતી કે પાર્ટી મારા માટે શું કરે છે પરંતુ હું એ આશા રાખુ છું કે તે દેશના લોકો માટે શું કરે છે. દેશના 128 કરોડ લોકોને હાલ એક વ્યક્તિ પર ભરોસો છે અને તે છે આપણા પ્રધાનમંત્રી. મને લાગે છે કે તેઓ જે કરે છે તે બરાબર કરે છે. 


કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટ, LTCની જગ્યાએ મળશે 'કેશ', 10,000 રૂપિયા એડવાન્સ પણ


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube