નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (New Farm Laws)ને લઈને સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે વિવાદ યથાવત છે. સરકારે કિસાન સંગઠનોને બુધવાર 30 ડિસેમ્બરે એકવાર ફરી વાતચીત માટે બોલાવ્યા છે. 40 કિસાન સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ વાતચીત માટે સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ કિસાન કાયદો પરત લેવાની પોતાની માંગ પર અડિગ છે. આ વચ્ચે અમિત શાહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોએ સરકારનું નિમંત્રણ સ્વીકાર્યું
40 કિસાન સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલને લખેલા પત્રમાં કહ્યુ, બેઠક માટે અમારા તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે તમારો આભાર. 30 ડિસેમ્બરે બપોરે 2 કલાકે વાતચીત માટે તમારૂ નિમંત્રણ અમને સ્વીકાર છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube