ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 


અમદાવાદ : હવે ખુદ ફાયર વિભાગ ભેરવાયું, અનેક હોસ્પિટલોએ NOC માટે અરજી કરી છતાં ઈન્સ્પેક્શન ન કર્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂગોળની ભાષામાં ભૌગોલિક દ્રષ્ટિથી જોઈએ
ભૂગોળની ભાષામાં પર્વત-ઘાટીની વચ્ચે આ સમતલ ક્ષેત્ર ટેબલટોપ કહેવાય છે. એટલે સમુદ્ર સ્થળથી ઉંચાઈ મળે છે. પરંતુ શીર્ષ હિસ્સો શંકુ આકાર કે ચોટીમાં ન હોઈને સમતલ હોય છે. કંઈક એવી રીતે કે, જમીનથી ઉંચાઈ પર સમતલ જગ્યા હોય. ભારતમાં આવા સ્થળો પર અનેક જગ્યાએ એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.  


સુરતમાં ફેલાતો કોરોનાને અટકાવવા ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકાયો

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર