નવી દિલ્હી: નવી દિલ્હી: 11 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો. આ ઘોષણા પત્ર (#BJPManifesto)ને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ચૂંટણી ઘોષણા પત્ર જારી કરતા પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી. ભાજપ અધ્યક્ષે સંકલ્પ પત્ર જારી કરતા અગાઉ મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર દેશની તમામ અપેક્ષાઓને 2019ના સંકલ્પ પત્રમાં રજુ કરાઈ છે. અમિત શાહે કહ્યું કે આ સંકલ્પ પત્ર 6 કરોડ લોકોની સાથે ચર્ચા કરીને બનાવવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ રાજનાથ સિંહે તેના વિશે માહિતી આપી. ત્યારબાદ અન્ય નેતાઓ અરુણ જેટલી અને સુષમા સ્વરાજે પણ સંબોધન કર્યું. અરુણ જેટલીએ કહ્યું કે અમારો હેતુ દેશને વિશ્વસ્તરની સુવિધાઓ આપવાનો છે. આ બાજુ સુષમા સ્વરાજે પણ કહ્યું કે અમારા ઘોષણા પત્ર અને અન્ય  પાર્ટીઓના શીર્ષકમાં અંતર સમજો. તેમણે કહ્યું કે અમારી પાર્ટી સંકલ્પ પત્ર લઈને આવી છે. સુષમા સ્વરાજે  કહ્યું કે ભારતનું પ્રભુત્વ અને ભારતની પ્રતિષ્ઠા પીએમ મોદીના નેતૃત્વમાં વધી છે. ભારતની ઉપલબ્ધિઓથી આખી દુનિયા હેરાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો....


- 2047નો મજબુત આધાર 2019થી 2024માં રાખવો પડશે. અમે સંકલ્પ પત્રમાં તે વાતનો ઈશારો કર્યો છે. - મોદી
- સંકલ્પ પત્ર સુશાસન પત્ર પણ છે, રાષ્ટ્રની સમૃદ્ધિનું પ્રતિક પણ છે- પીએમ મોદી
- આપણા દેશમાં ભ્રષ્ટાચાર પર ચર્ચા ઘણી થઈ. અમે શાસન વ્યવસ્થામાં અનેક ફેરફાર કર્યાં. 
- અમે નાગરિકો પર ભરોસો કરવા માંગીએ છીએ. હિન્દુસ્તાનના 130 કરોડ લોકો પણ દેશને મજબુત કરવા માંગે છે. 
- આપણા દેશમાં એક સ્થિતિ ઊભી કરાઈ છે કે જનતાને ગમે તેટલું આપો ઓછું જ પડે છે. હું સમજું છું કે તે દેશવાસીઓનું અપમાન છે. એકવાર લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે જેમના માટે શક્ય હોય તેઓ ગેસ સબ્સિડી છોડે. સવા કરોડથી વધુ લોકોએ ગેસ સબ્સિડી છોડી દીધી. 
- દિલ્હીના એર કન્ડિશનમાં બેઠેલા લોકો ગરીબીને હરાવી શકે નહીં. ગરીબ જ ગરીબીને હરાવી શકે છે.- પીએમ મોદી


રાહુલ ગાંધીના પિતરાઈએ PM મોદી વિશે આપ્યું એવું નિવેદન, ગાંધી પરિવારમાં ખળભળાટ મચ્યો


સંકલ્પ પત્રમાં મુખ્ય પોઈન્ટ્સ આ પ્રમાણે હોઈ શકે છે...


1. વિકાસ- વિઝન હશે વિક્સિત ભારત
2. રાષ્ટ્રવાદ- સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક ગગનયાન, અને મિશન શક્તિનો ઉલ્લેખ
3. રોજગાર- મુદ્રા બેંક, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા દ્વારા રોજગાર સર્જન
4. સુરક્ષા- મજબુત ભારત/પાકિસ્તાન અને ચીન નીતિ/કાશ્મીરમાં હાલાત વધુ સારા/ ભાગલાવાદીઓ પર લગામ અને તેમની સુવિધા ખતમ કરવી, તથા પ્રતિબંધ લગાવવા.
5. ખેડૂતની આવક  બમણી કરવાની દિશામાં કરાયેલા પ્રયત્નો, 6000 રૂપિયા ખાતામાં/પીએમ ખેડૂત યોજના/પીએમ સિંચાઈ યોજના વગેરે યોજનાઓ.
6. યુવા ભારત- યુવાઓ માટે કરાયેલા પ્રયત્નો.
7. રામ મંદિર- ભવ્ય રામ મંદિર બનાવવું અમારો લક્ષ્યાંક
8. કલમ 370 અને 35 એ નો પણ ઉલ્લેખ
9. ગરીબોને સક્ષમ બનાવવાની કોશિશ માટે યોજનાઓ
10. મહિલાઓની સુરક્ષા, તેમના સ્વાભિમાન અને લૈંગિક સમાનતા
11. ઈમાનદાર સરકાર તરીકે પોતાને રજુ કરવી, ભ્રષ્ટાચાર સાથે કોઈ સમાધાન નહીં (માલ્યા/ નીરવ મોદી/વાડ્રા/ક્રિશ્ચિન મિશેલનો થઈ શકે છે ઉલ્લેખ)
12. મધ્યમ વર્ગ- ઈન્કમ ટેક્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ


ભાજપની 2019ની ચૂંટણી થીમ રહેશે...


1. કામ કરનારી સરકાર
2. એક પ્રામાણિક સરકાર
3. મોટા નિર્ણયો લેનારી સરકાર 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...