નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) દરમિયાન શનિવારે વિપક્ષી પાર્ટીઓનાં નેતા દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં એકત્ર થઇ રહ્યા છે. અહીં પોતાના સંબોધનમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા આપણે આવી સ્થિતીમાં એકત્ર થવું પડશે. આજે અમે દેશભક્તિની નવી પરિભાષા શિખવવામાં આવી રહી છે. જાતી-ધર્મના આધાર પર લોકોની વચ્ચે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અમારી પાસેથી ઉમેદવાર કરવામાં આવી રહી છે કે ભોજપ, પહેરવેશ અને અભિવ્યક્તિની આઝાદી મુદ્દે કેટલાક લોકોની મનમાનીને સહન કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની 18મી યાદીમાં 24 ઉમેદવારોનાં નામની જાહેરાત, MPમાં છિંદવાડામાં રસાકસી

યુપીએ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે હાલની સરકાર નાગરિકો પાસેથી  સારા જીવનની સંભાવનાઓ છીનવી રહ્યા છે. અમે સંપુર્ણ હિમ્મત સાથે તેનો વિરોધ કરવો પડશે. ભારતને એવી સરકારની જરૂર છે. દેશનાં તમામ નાગરિકો પ્રત્યે જવાબદાર હોય. સંવિધાનમાં  જે માળખાગત સ્વતંત્રતા લખવામાં આવી છે તેને ફરીથી સ્થાપિત કરવું પડશે.  અમે તે સંવૈધાનિક મુદ્દાઓને ફરીથી કાયમ કરવી પડશે. 
ફારુક અબ્દુલ્લાને ભારતીય વાયુસેના પર નથી વિશ્વાસ, F-16 મુદ્દે ઉઠાવ્યા સવાલ

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નીતિઓ અને તેની કાર્યપ્રણાલી પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે શનિવારે વિપક્ષી પાર્ટીઓએ દેશનાં 200 એનજીઓ સંગઠનો સાથે મળીને મહામંથન કર્યું હતું. ત્યાર બાદ જ આના પર નિર્ણય લેવામાં આવ્યો હતો.