નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ બાદ પહેલીવાર સદન(Monsoon Seccion) ની કાર્યવાહી થવાની છે. પરંતુ તે પહેલા જ વિપક્ષ કાળઝાળ થયો છે. વાત જાણે એમ છે કે આ વખતે સદનની કાર્યવાહીમાંથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. જેને લઈને વિપક્ષ ખુબ નારાજ છે. પ્રશ્નકાળ રદ થતા અનેક સવાલ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ વખતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ ફેરફાર મુજબ ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ નહીં રહે. જો કે શૂન્યકાળ અંગે હજુ કઈ જણાવવામાં આવ્યું નથી. સંસદનું ચોમાસુ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે UNમાં કરશે સંબોધન!, જાણો વિગતો


નિયમોમાં ફેરફાર
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે 17મી લોકસભાનું ચોથુ સત્ર 14 સપ્ટેમ્બર 2020થી શરૂ થઈ રહ્યું છે. જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે આ માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકસભા સત્રના પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સદનની કાર્યવાહી ચાલશે. અને 15 સપ્ટેમ્બરથી એટલે કે એક દિવસ બાદથી સદન 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. આ વખતે સદનની કાર્યવાહીથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. ત્યારબાદ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રાઈવેટ મેમ્બર બિઝનેસ નહીં હોય. શનિવારે અને રવિવારે રજા નહીં હોય. 14 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધીમાં કુલ 18 બેઠકો યોજાશે. 


Corona: હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય!, જાણો શું કહ્યું WHOએ?


Corona Update: કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો, રંગરૂપ બદલી રહેલા વાયરસથી તજજ્ઞો પણ ચિંતાતૂર


શું હોય છે પ્રશ્નકાળ?
લોકસભામાં કાર્યવાહીનો પહેલો કલાક (11 થી 12) પ્રશ્નકાળ કહેવાય છે. જ્યારે રાજ્યસભામાં કાર્યવાહીનો પહેલો કલાક શૂન્યકાળ (ઝીરો અવર) કહેવાય છે. પ્રશ્નકાળમાં સાંસદ વિભિન્ન સૂચિબદ્ધ મુદ્દાઓ પર પ્રશ્નો કરે છે જેની શરૂઆત રાજ્યસભામાં 12 વાગ્યાથી થાય છે. જ્યારે શૂન્યકાળમાં સાંસદ નિર્ધારિત કાર્યક્રમના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વ્યક્ત કરે છે. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube