MNS Maha Aarti: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ નિર્ણય લીધો છે કે 3 મેના રોજ તેમની પાર્ટીના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થાનિક મંદિરોમાં મહાઆરતી કરશે. આ અગાઉ સોમવારે મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડીને કહ્યું હતું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે મંજૂરી લેવી જરૂરી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમએનએસની મહાઆરતી કરવાની જાહેરાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નિતિન સરદેસાઈએ કહ્યું કે MNS ના કાર્યકરો 3જી મેના રોજ અક્ષય તૃતિયાના અવસરે રાજ્યભરના સ્થાનિક મંદિરોમાં મહાઆરતી કરશે. મહાઆરતી લાઉડ સ્પીકરથી કરવામાં આવશે. 


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે સોમવારે કહ્યું હતું કે એક મહત્વપૂર્ણ કદમ હેઠળ મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પોલીસની મંજૂરી અનિવાર્ય કરી છે. તેમણે કહ્યું કે મંજૂરી વગર  ધાર્મિક સ્થળો કે ધાર્મિક સમારોહમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં દિશા-નિર્દેશો સાથે પ્રસ્તાવ પર વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 


જહાંગીરપુરી હિંસા: મોંઘી BMW કારનો માલિક છે આરોપી 'પથ્થરબાજ પુષ્પા', Photos જોઈને દંગ રહી જશો


Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube