મુંબઈઃ શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે. તે પોતાનો ટેસ્ટ કરાવે. 


મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્યએ ટ્વીટ કરી કહ્યુ, 'કોરોના વાયરસના લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવનાર બધા લોકોને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરુ છું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube