નવી દિલ્હી: દિલ્હી પોલીસે દેશની રાજધાનીને હચમચાવી દેવાનું કાવતરું નિષ્ફળ કર્યું છે. આઇએસઆઇએસ (ISIS)ના આંતકવાદીઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે (Delhi Police) ધરપકડ કરેલા આતંકીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- હવે તમે પણ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતા જોઇ શકશો, બનાવાયો આ ખાસ પ્લાન


આ આતંકીઓ પાસેથી જે બે આઇઇડી (IED) સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળી આવ્યો હતો, જેમાં બે કુકર બોમ્બ પણ સામેલ હતા. એનએસજીની ટીમે સવારે બોમ્બને ડિફ્યૂઝ કર્યા હતા. જણાવી દઇએ કે, આ ઘટનાની થોડીવાર પહેલા જ તે વિસ્તારમાંથી ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપ સાંસદ રવિ કિશન (Bhojpuri Superstar & BJP MP Ravi Kishan) સાયકલ પર ત્યાંથી પસાર થયા હતા.


આ પણ વાંચો:- પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા


રવિ કિશને કહ્યું- ભગવાન ગણેશજીના આશીર્વાદથી બચી ગયો
તમને જણાવી દઇએ કે, લોકસભા સાંસદ રવિ કિશન દરરોજ સવારે 7થી 8 કિલોમીટર સાયકલિંગ કરે છે અને તેઓ થોડી ક્ષણો પહેલા સાયકલિંગ કરતા ધોળા કુવાથી પસાર થયા હતા, જ્યારે વિસ્ફોટક મળી આવ્યો. રવિ કિશને ભગવાનનો આભાર માનતા કહ્યું કે, ભગવાન ગણેશજીના આશીર્વાદથી હું બચી ગયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર