નવી દિલ્હી: રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનો અનાદર) અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો ભાગ બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશની કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુઆત કરી છે.  મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે 'ચોકીદાર ચોર હૈ'ના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદનની જેમ રજુ કર્યું. કોર્ટ સોમવારે આ સુનાવણી માટે આ મામલે સુનાવણી હાથ ધરશે. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે રાફેલની પુર્નવિચાર અરજી મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ચોકીદાર ચૌર હૈ!'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમનો આદેશ, રાજકીય પક્ષો બોન્ડથી મળેલા ફાળાની વિગત 30મી મે સુધીમાં ECને આપે


રાહુલે PM મોદીને ફેંક્યો મોટો પડકાર, કહ્યું- 'સ્વીકારશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી ઓપન ચર્ચાનો પડકાર ફેંકતા ગુરુવારે કહ્યું કે જે દિવસે મોદી તેમના પડકારને સ્વીકારી લેશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાહુલ ગાંધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે લોકસભાની ચૂંટણી માટે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી તે દરમિયાન તેમને સપોર્ટ કરવા રાયબરેલી આવ્યાં હતાં. સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી ત્યારબાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 'જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે ચર્ચાનો પડકાર સ્વીકારી લેશે, તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.'


દેશના આ જગપ્રસિદ્ધ મંદિરમાં 'ગાંધી પરિવાર'ના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળની કહાની


તેમણે કહ્યું કે 'જે દિવસે ચર્ચા થઈ, તે દિવસે દેશને ખબર પડી જશે કે ચોકીદાર ચોર છે.' રાહુલે કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદી સાથે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે. જો જરૂર પડી તો તેમના ઘરે જઈને પણ ચર્ચા કરી શકે છે. તેમણે સવાલ કર્યો કે અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપ્યો તે મોદી જણાવે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...