નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વિવાદ બાદ ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું મિશન શરૂ કરી દીધુ છે. મહત્વનું છે કે મંગળવારે એર ઈન્ડિયાની ફ્લાઇટે કીવથી ઉડાન ભરી હતી. જાણકારી પ્રમાણે આ ફ્લાઇટ દિલ્હી રાત્રે 11.45 કલાકે પહોંચી હતી. જેમાં યુક્રેનમાં રહેતા 242 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે એર ઈન્ડિયાના વિમાનથી ભારત પહોંચેલા લોકોને લેવા માટે તેમના પરિવારજનો પહેલાંથી એરપોર્ટ પર હાજર હતા. 


યુક્રેન માટે એર ઈન્ડિયાના વિમાને પહેલી ઉડાન મંગળવારે સવારે 7.30 કલાકે ભરી હતી. તેમાં પૂરી ક્ષમતા સાથે 242 લોકોને લાવવામાં આવ્યા. એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારતીય લોકોને લાવવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube