નવા વર્ષમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં પણ અજંપાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના લોકોના મનમાં એક જ સવાલ રમી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ શું કેન્દ્રમાં ગુજરાતનું પ્રભુત્વ વધશે કે પછી ઘટાડવામાં આવશે? જુલાઈ 2021માં જ્યારે મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા ફેરબદલ થયો હતો ત્યારે 3 નવા ચહેરાને જગ્યા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ સમયે કેન્દ્રીય મંત્રીમંડળમાં સુરતથી સાંસદ દર્શના જરદોશ, ખેડાથી યુવા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરથી સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને પહેલીવાર મંત્રીપરિષદમાં જગ્યા મળી હતી. ત્યારબાદ ગુજરાતથી કુલ મંત્રીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ હતી. વિદેશમંત્રી એસ જયશંકરને જોડીએ તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળમાં સાત મંત્રી છે. એસ જયશંકર પણ ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ છે. આવામાં જ્યારે 2023માં મકર સંક્રાંતિ બાદ અને બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે ત્યારે બધાની નજર એક જ વાત પર છે કે ગુજરાતમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે પ્રતિનિધિત્વ ઘટશે કે પછી કદ વધશે.


ગત ફેરબદલીમાં મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા પ્રમોટ કરાયા હતા અને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. બંને હાલ રાજ્યસભાના સભ્ય છે. બંને પાટીદાર સમુદાયમાંથી આવે છે અને બંનેનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધી છે. જ્યારે એસ જયશંકરનો કાર્યકાળ ઓગસ્ટ 2023 સુધી છે. આવામાં આશા છે કે ત્રણેય મંત્રીઓની જગ્યા યથાવત રહી શકે છે. આ ઉપરાંત અમિત શાહ સહિત બાકીના ચારેય મંત્રી સાંસદ છે. તો આવામાં સવાલ એ છે કે ગુજરાતમાં જે ભવ્ય જીત મળી છે તેના ઈનામ તરીકે આ ફેરબદલીમાં જગ્યા મળશે. 


નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી રાહત


પીનારાઓને તો બલ્લે બલ્લે! અહીં દારૂ થયો ટેક્સ ફ્રી, જાણો કેમ અચાનક લેવાયો આ નિર્ણય


10 દેશોએ કડકાઈ વધારી તો WHO આવ્યું એક્શનમાં!, ચીનને ખખડાવીને આપ્યા આ કડક નિર્દેશ


પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની તૈયારી


શું  પાટિલને પ્રમોશન મળશે?
ગુજરાતના રાજકીય ગલિયારામાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું કદ વધવાની અટકળો લાંબા સમયથી થઈ રહી છે. ચર્ચા છે કે કેબિનેટ ફેરબદલમાં સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બની શકે છે. ત્યારબાદ આગામી ચૂંટણીઓમાં જે તે રાજ્યના પ્રભારી પણ બનાવવામાં આવી શકે છે. જો સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બને તો સ્પષ્ટ  છે કે કોઈ પણ મંત્રી પદ પર કાતર ફરી શકે છે. બીજી ચર્ચા એ છે કે આગામી ફેરબદલમાં વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોનું પ્રતિનિધિત્વ વધી શકે છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને કર્ણાટક સહિત પૂર્વોત્તર રાજ્યો સામેલ છે. જો આ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ વધ્યું તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટી પણ શકે. 


તમામ 26 બેઠકો ભાજપ પાસે
ગુજરાતની લોકસભા બેઠકોની વાત કરીએ તો કુલ 26 બેઠક છે. આ તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. આવામાં ચર્ચા એવી પણ છે કે ફેરબદલમાં જો પાટીલ સામેલ ન થાય તો ગુજરાતના કોઈ નવા ચહેરાને તક મળી શકે છે. જેમાં કોઈ નવા સાસંદને લોટરી લાગી શકે છે અને જૂના કોઈ મંત્રીની ખુરશી જઈ શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જેમાંથી 8 ભાજપ પાસે છે જ્યારે 3 કોંગ્રેસ પાસે છે. ભવિષ્યમાં આ 3 બેઠક પણ ભાજપ પાસે હશે કારણ કે કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જીતી શકી છે અને આ સંખ્યા બળથી તે એક પણ સીટ જીતી શકશે નહીં. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube