મુંબઈ: મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને તેમા પણ મુંબઈમાં તો સૌથી વધુ કેસ છે. આવામાં સપનાના શહેર મુંબઈમાં જ્યારે પહેલેથી જ કોરોનાનો ભરડો ચુસ્ત છે લોકો વધુ સંખ્યામાં કોરોનાથી સંક્રમિત છે ત્યાં એક વધારે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. IIT Bombayના એક તાજા રિપોર્ટમાં જણાવાયું છે કે આવનારા ચોમાસામાં મુંબઈમાં કોરોના વાયરસના કેસ હજુ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, નિયમોનું પાલન નહીં કરો તો ફરીથી લાગુ થઈ શકે છે Lockdown


મુંબઈમાં કોરોનાનો ચેપ વધશે
આઈઆઈટી બોમ્બેના અભ્યાસ મુજબ ચોમાસા દરમિયાન કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. સ્ટડીમાં દાવો છે કે હ્યુમિડિટી એટલે કે ભેજ વધવાથી વાતાવરણમાં કોરોના વાયરસ વધુ સમય સુધી જીવિત રહી શકે છે. આ સ્ટડીને આઈઆઈટી બોમ્બેના બે પ્રોફેસરોએ કર્યો છે. જેમનું માનવું છે કે વધુ તાપમાન અને ઓછા ભેજના કારણે ઉધરસ કે છીંકના ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં ઓછો સમય લાગે છે પરંતુ ચોમાસા દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેશે જેથી કરીને લોકોને ઊધરસ આવે કે છીંકના ડ્રોલેટ્સને સૂકાતા વધુ સમય લાગશે. જેના કારણે સંક્રમણ હજુ વધુ ફેલાવવાની આશંકા છે. આ રિસર્ચ અમેરિકાના એક જર્નલમાં પ્રકાશિત થયો છે. 


Corona Latest Update: દેશમાં કોરોનાના નવા 9996 કેસ સાથે આંકડો 2.86 લાખને પાર, 24 કલાકમાં 357 લોકોના મૃત્યુ


રિસર્ચ માટે અન્ય દેશોના કેસોને પણ સામેલ કરાયા 
આ તાજા રિસર્ચ મુજબ ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં સૌથી ઓછો સમય સિંગાપુરમાં લાગ્યો અને સૌથી વધુ સમય ન્યૂયોર્કમાં લાગ્યો. આ જ કારણ છે કે ન્યૂયોર્ક દુનિયામાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. 


કોરોનાકાળમાં મહારાષ્ટ્રના બુલઢાણાનું આ તળાવ ચર્ચામાં, બન્યું કઈંક એવું કે વૈજ્ઞાનિકો પણ ચોંક્યા


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube