નવી દિલ્હી: રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020થી સન્માનિત બાળકો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે તેઓ બહાદુર બાળકોની કહાની સોશિયલ મીડિયામાં શેર કરશે. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે તમે આટલી ઓછી ઉંમરમાં જે કામ કર્યું તે અદભૂત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો ઓછાયો, PM મોદીને મળી રહ્યાં છે ધમકીભર્યા નનામા પત્રો


પીએમ મોદીએ કહ્યું કે થોડીવાર પહેલા તમારા  બધાનો પરિચય જ્યારે થઈ રહ્યો હતો ત્યારે હું સાચે જ સ્તબ્ધ હતો. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે તમે બધાએ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રયત્નો કર્યા છે, જે કામ કર્યું છે તે અદભૂત છે. 


પીએમ મોદીએ કહ્યું કે તમે બધા કહેવામાં તો નાની ઉંમરના છો પરંતુ તમે જે કામ કર્યું છે તે કરવાની વાત તો છોડો તેને વિચારવામાં પણ મોટા મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. તેમણે કહ્યું કે તમારા જેવા યુવા સાથીઓના સાહસિક કાર્યો અંગે જ્યારે હું સાભળું છું ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છૂપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોનો દાયરો વધારવામાં આવ્યો છે. 


પાવર ઓફ અ કોમન મેન...જેણે DMની ગાડી અને ઓફિસનું ફર્નિચર જપ્ત કરાવી દીધુ, જાણો સમગ્ર મામલો


દિવસમાં ચાર વાર પરસેવો વળવો જોઈએ
પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તમારામાંથી કોણ છે જેને દિવસમાં ચારવાર પરસેવો વળે છે. ભરપૂર પરસેવો આવે છે. એવા કેટલા છે. એક પણ બાળક એવો ન હોવો જોઈએ જેને દિવસમાં ચારવાર પરસેવો ન વળતો હોય. 


મને કોઈએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ કેમ છે. મેં જવાબ આપ્યો હતો કે મારા શરીરમાંથી એટલો પરસેવો નીકળે છે કે તેનાથી હું ચહેરા પર માલીશ કરું છું અને એટલે ચહેરો ચમકી જાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...