રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh) ના બીજાપુર (Bijapur) માં થયેલી નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી છે. સીઆરપીએફ કમાન્ડો રાકેશ્વર સિંહનો ફોટો જારી કરીને નક્સલીઓએ દાવો કર્યો છે કે જવાન સુરક્ષિત છે. આ અગાઉ નક્સલીઓએ કેટલાક સ્થાનિક મીડિયાકર્મીઓને એક પત્ર જારી કરીને કહ્યું હતું કે ગૂમ થયેલો જવાન તેમના કબજામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારનો મોટો ખુલાસો-જવાનને ગોળી વાગી છે
આ બધા વચ્ચે છત્તીસગઢ (Chhattisgarh) ના એક સ્થાનિક પત્રકાર ગણેશ મિશ્રાએ પણ જવાન રાકેશ્વર સિંહ મન્હાસ(Rakeshwar Singh Manhas) અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે જવાન નક્સલીઓના કબજામાં છે. એએનઆઈ સાથે વાતચીતમાં ગણેશ મિશ્રાએ કહ્યું કે મને નક્સલીઓના બે ફોન આવ્યા છે કે એક જવાન તેમના કબજામાં છે. તેમણે કહ્યું કે જવાનને ગોળી વાગી છે અને તેને મેડિકલ ટ્રિટમેન્ટ  અપાઈ છે. નક્સલીઓએ કહ્યું કે જવાનને 2 દિવસમાં છોડી મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે જવાનનો વીડિયો અને ફોટો જલદી જારી કરવામાં આવશે. 


Covid-19: કોરોનાકાળમાં કાર ચલાવનારા લોકો માટે કોર્ટનો મહત્વનો ચુકાદો, નહીં જાણો તો પસ્તાશો


 


PHOTOS: રસી મૂકાવ્યા બાદ 'આડઅસરથી બચવા' આટલી વાતોનું ધ્યાન રાખો, તરત કામ પર ન જાઓ....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube