PHOTOS: રસી મૂકાવ્યા બાદ 'આડઅસરથી બચવા' આટલી વાતોનું ધ્યાન રાખો, તરત કામ પર ન જાઓ....

જો તમે પણ રસી મૂકાવવા જવાના હોવ તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખો. 

કોરોના વાયરસના કેસ એકવાર ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. આવામાં રસીકરણનું અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8,70,77,474 લોકોને રસી આપવામાં આવી છે. આવામાં જો તમે પણ રસી મૂકાવવા જવાના હોવ તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખો. 

તરત જ કામ પર ન જાઓ

1/8
image

જો તમે રસી મૂકાવી હોય તો તરત કામ પર જવાથી બચો. રસી મૂકાવ્યા બાદ ઓછામાં ઓછા 2-3 દિવસ સુધી આરામ કરો. કેટલાક લોકો રસી લીધા બાદ તો કેટલાક લોકો 24 કલાક બાદ સાઈડ ઈફેક્ટ મહેસૂસ કરે છે. આથી રસી લીધી બાદ ઓછામાં ઓછા બે દિવસ સુધી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 

ભીડ-ભાડમાં જવાથી બચો

2/8
image

જો તમે હાલમાં જ રસીનો પહેલો ડોઝ લીધો હોય તો ભીડભાડવાળી જગ્યા પર જવાથી બચજો. જ્યાં સુધી રસીના બંને ડોઝ ન મૂકાઈ જાય ત્યાં સુધી તમારી સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખો. જો કે રસીના બે ડોઝ લીધા પછી પણ તમારે પ્રોટોકોલનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. 

મુસાફરી ન કરો

3/8
image

કોરોના સંક્રમણ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવામાં ભલે તમે રસી મૂકાવી હોય પરંતુ ટ્રાવેલિંગથી બચવું જોઈએ. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ગાઈડલાઈનમાં રસી મૂકાવ્યા બાદ પણ મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. 

સિગરેટ અને દારૂનું સેવન ન કરો

4/8
image

જો તમે સિગરેટ અને દારૂ પીતા હોવ તો રસી મૂકાવ્યા બાદ તેનાથી અંતર જાળવો. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બિલકુલ દારૂનું સેવન ન કરો. આ ઉપરાંત પણ તમારે બહારના અને તળેલા ખાવાનાથી અંતર જાળવવું જોઈએ. 

ડોક્ટરના સંપર્કમાં રહો

5/8
image

જો તમને પહેલેથી કોઈ એલર્જીની સમસ્યા હોય તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. રસી મૂકાવ્યા બાદ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી મહેસૂસ થાય તો ડોક્ટરનો તરત સંપર્ક કરો. 

માસ્ક વગર બહાર ન જાઓ

6/8
image

રસી મૂકાવ્યા બાદ પણ તમારે માસ્ક લગાવવાની એટલી જ જરૂર છે જેટલી રસી મૂકાવતા પહેલા જરૂર હતી. રસીના બંને ડોઝ મૂકાવ્યા બાદ જ શરીરમાં એન્ટીબોડી બને છે. આથી જરા અમથી બેદરકારીથી તમે રસી મૂકાવ્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં આવી શકો છો. 

હાઈડ્રેટેડ રહો

7/8
image

રસી મૂકાવ્યા પહેલા અને ત્યારબાદ પોતાને ડાઈડ્રેટેડ રાખો. તમારા ડાયેટમાં ખુબ શાકભાજી, ફળો અને નટ્સ સામેલ કરો. આ ઉપરાંત ખુબ પાણી પણ પીવો. તેનાથી શરીર અંદરથી મજબૂત રહેશે. 

વર્કઆઉટ ન કરો

8/8
image

રસી મૂકાવ્યા બાદ હાથમાં દુખાવો થવો સામાન્ય છે. આથી જો તમે રસી મૂકાવી હોય તો થોડા દિવસ માટે વર્કઆઉટ ન કરવું જોઈએ. નહીં તો હાથનો દુખાવો વધી શકે છે.