અહેમદનગર : લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં ચૂંટણી પ્રચાર દરમિયાન શનિવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી શિરડી પહોંચ્યા હતા. પાર્ટી તરફથી આયોજીત ચૂંટણી રેલી દરમિયાન અચાનક બગડી ગઇ. તેમને પોતાનું ભાષણ અધુરુ જ છોડવું પડ્યું હતું. સંબોધન ચાલુ કર્યાની તુરંત બાદ તેઓ અટકી ગયા, થોડુ પાણી પીધું. ત્યાર બાદ તેમને થાકનો અનુભવ થયો. તેઓ ભાષણ કરી શક્યા નહોતા. મંચ પર મુકેલી એક ખુરશી પર જઇને બેઠી ગયા. શિરડી લોકસભા સીટથી શિવસેના સદાશિવ લોખંડે ચૂંટણી મેદાનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી, મંજૂરી વગર જનસભા કરવા પર ECએ આપ્યો FIR નોંધવાનો આદેશ

ગડકરીની બેચેની જોઇને કોઇ સુરક્ષાકર્મચારીઓ અને પાર્ટી કાર્યકર્તા તેની દોડી પડ્યાં, પરંતુ થોડી મિનિટો બાદ તેમની તબીયત ઠીક થઇ ગઇ. થોડા સમય બાદ તે જનસમુહની તરફ હાજર થયા, હાથ હલાવીને પોતે યોગ્ય હોવાનો સંકેત આપ્યો અને મંચથી ઉતરીને જતા રહ્યા હતા. જો કે તેમણે તેમ પણ જણાવ્યું કે, ક્યાં જઇ રહ્યા છે. 


વિપક્ષનો દાવો: EVM પર માત્ર ભાજપનાં ચિન્હની નીચે જ દેખાય છે પાર્ટીનું નામ
16 વર્ષ બાદ સંમતીથી બધાયેલ સંબંધ પર કઠોર કાર્યવાહી નહી: હાઇકોર્ટ


આ વર્ષે 16મી વસંત જોઇ ચુકેલા ગડકરી ચાર મહિનાની અંદર બીજી વખત જનસભા દરમિયાન સ્વાસ્થય પરેશાનીથી પસાર થયા. ગત્ત વર્ષે 7 ડિસેમ્બરે અહેમદનગર ખાતે મહાત્મા ફુલે કૃષી વિદ્યાપીઠના દિક્ષાંત સમારોહ રાષ્ટ્રગીત સમયે ગડકરી મંચપરથી પડ્યા હતા. તેમને મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સીવી રાવ ત્યાં હાજર અન્ય લોકોએ સંભાળ્યા હતા. તેમની તબિયત થોડા સમય બાદ સ્વસ્થ થઇ ગયા હતા. 


શ્રીલંકામાં સ્થિતિ યથાવત, ભારતે યાત્રા ન કરવાની આપી સલાહ, એડવાઇઝરી જાહેર

નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે ગડકરી
કેન્દ્રીય મંત્રી નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યાં લોકસભાના પહેલા તબક્કામાં 11 એપ્રીલે મતદાન થઇ ચુક્યું છે. તેમનો મુકાબલો ભાપ છોડીને કોંગ્રેસમાં આવેલા નાના પટેલ સાથે છે. બસપા તરફથી મોહમ્મદ જમાલ ચૂંટણી મેદાનમાં છે. મતોની ગણતરી 23 મેના રોજ આવશે.