નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી.... આ નામ તમારા મસ્તિષ્કમાં ઘૂમતું રહે છે. પછી ભલે તેમના કટ્ટર સમર્થક  હોવ કે તેમના પ્રબળ વિરોધી. એટલું તો નક્કી  છે કે તેમના વિશે વિચાર્યા વગર કે ચર્ચા કર્યા વગર એક દિવસ પણ પસાર થઈ શકતો નથી. આ સ્થિતિ વૈશ્વિક મહાશક્તિઓથી લઈને દેશના રાજનેતાઓ સુધી... સામાન્ય જનતા અને બધાની છે. જે એક અસાધારણ વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની ધરતીથી આકાશ સુધીની સફર
પીએમ મોદીના જીવન પર ધ્યાનથી નજર ફેરવીએ તો તેમની ઉપલબ્ધિઓ તમને કોઈ ચમત્કારથી ઓછી નહીં લાગે. એક સામાન્ય ચા વેચનારા વ્યક્તિથી લઈને દેશની સર્વોચ્ચ સત્તા અને ત્યારબાદ વૈશ્વિક નેતાનું સન્માનજનક સ્થાન મેળવવું એ ખરેખર અચરજની વાત છે. પરંતુ પીએમ મોદીને ખુબ જ નજીકથી જાણનારા લોકો માટે આ બધુ નવાઈની વાત નથી. કારણ કે તેઓ જાણે છે કે પીએમ મોદીને આધ્યાત્મિક શક્તિઓની કૃપા હાંસલ છે. તેમના માટે કશું જ અશક્ય નથી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube