નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે સંસદ ભવનના બહારના ભાગમાં ફીટ કરવામાં આવેલી રંગબેરંગી લાઈટનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી ફીટ કરવામાં આવેલી કુલ 875 LED લાઈટના કારણે લોકશાહીના સૌથી મોટા મંદિરનો નજારો કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના નાયબ સ્પીકર, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ લાઈટ LED હોવાના કારણે વિજળીની પણ બચત કરશે અને તે પર્યાવરણને પણ ઓછું નુકસાન કરશે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....