નવી દિલ્હી: ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. મધ્ય પ્રદેશના 78 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો. પીએમ મોદીનું આ સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી થયું. મધ્ય પ્રદેશ ઉપરાંત અન્ય 5 રાજ્યોના ખેડૂતો પણ તેમા સામેલ થયા. 


Corona Update: શું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોના રસી મૂકાવી શકાશે? ખાસ જાણો જવાબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે  કર્યું સંબોધન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના સંબોધન પહેલા સંબોધન કર્યું. તેમણે કહ્યું કે દશ માટે આજે મહત્વનો દિવસ છે. આજે અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવીયાની જયંતી છે. જેમણે દેશના નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું. અમિત શાહે કહ્યું કે દસ વર્ષ સુધી યુપીએની સરકારે ફક્ત 60 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું ઋણ માફ કર્યું. પરંતુ મોદી સરકારે ફક્ત અઢી વર્ષમાં દસ કરોડ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા નાખ્યા. 


Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube