અરરિયા: આજે બિહાર (Bihar Election) માં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ આજે બિહારના ફરબિસગંજમાં એક ચૂંટણી રેલી સંબોધી. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન અને આજે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એક વાત સ્પષ્ટ છે કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધુ છે કે બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારની જનતાએ ડબલ ડબલ યુવરાજોને નકાર્યા છે. બિહારમાં એક કહેવત છે કે 'સબકુછ ખૈની, ભૂંજા ભી ચબૈની' એટલે કે બધુ ખોઈ નાખ્યા બાદ ભૂંજા પર નજર છે. કેટલાક લોકો બિહારમાં આટલું ખાઈ ગયા બાદ પણ રાજ્યને લાલચની નજરે જોઈ રહ્યા છે. પરંતુ બિહારની જનતા જાણે છે કે કોણ બિહારના વિકાસ માટે કામ કરશે અને કોણ પોતાના પરિવારના વિકાસ માટે કામ કરશે. આજે બિહારમાં પરિવારવાદ હારી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજ્યસભા ભેગી કરી તો પણ તેમની પાસે 100 સાંસદ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bihar Election LIVE: બીજા તબક્કાની 94 બેઠકો પર મતદાન, લાલુપ્રસાદના બે લાલ કરશે કમાલ?


મધ્ય પ્રદેશમાં રસપ્રદ છે પેટાચૂંટણીનો જંગ, BJP ને સત્તા જાળવી રાખવા માટે જોઈએ આટલી બેઠકો


Corona Update: કોરોના પર જીત!, 24 કલાકમાં 10 લાખથી વધુ ટેસ્ટ થયા પણ આટલા જ કેસ પોઝિટિવ નીકળ્યા


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube