નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં છે. સવારે સુંદરગઢમાં એક ચૂંટણી સભાને સંબોધ્યા બાદ પીએમ મોદીએ સોનપુરમાં રેલી કરી. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધશે. તમારી રસોઈનો ખર્ચ ખુબ વધશે, ગેસનો ભાવ વધશે, કેરોસીનના ભાવ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારમાં મંત્રી પદ ન મળવાથી નારાજ હતા શત્રુઘ્ન સિન્હા, એટલે ભાજપનો સાથ છોડ્યો?


કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પેઢી દર પેઢી કોંગ્રેસ ગરીબી હટાવોના નારા જ આપ્યા કરે છે. તેમના રાજમાં ગરીબો વધુ ગરીબ અને અમીરો વધુ અમીર થતા ગયાં. તેમણે કહ્યું કે કોંગ્રેસનું ચાલ્યું તો રાશનની દુકાન પર તમારા જે સસ્તા ઘઉં, ચોખા મળે છે તે પણ અનેક ગણી કિંમતે મળવા લાગશે. એટલું જ નહીં હવે તો કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ દેશના કરોડો લોકોને સ્વાર્થી જણાવતા કહે છે કે ટેક્સ વધારવામાં આવશે. 


પીએમ મોદીએ વિપક્ષને ઘેરતા કહ્યું કે આ વખતની ચૂંટણી નક્કી કરશે કે હિન્દુસ્તાનના હીરો મજબુત થશે કે પછી પાકિસ્તાનના પક્ષકાર મજબુત બનશે. આ ચૂંટણી નક્કી કરશે કે આપણા જવાનો, ખેડૂતો અને યુવાઓને સન્માન મળશે કે પછી ટુકડા ટુકડા કરનારી ગેંગનો અવાજ ગૂંજશે.


દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી


તેમણે કહ્યું કે ઓડિશાનો વિશ્વાસ ત્યારે વધે છે જ્યારે ઝારસાગુડાનું એરપોર્ટ બની જાય છે. બાલાંગીર-બિચુપલ્લી રેલવે લાઈન જેવા પ્રોજેક્ટ બને છે. ઓડિશાનો વિશ્વાસ ત્યારે વધે છે જ્યારે અહીં ફક્ત રેલવેના વિકાસ માટે 5 વર્ષ પહેલાની સરખામણીમાં 6 ગણા પૈસા લાગે છે. પીએમ મોદીએ કહ્યું કે અસલમાં કોંગ્રેસ અને બીજેડીને ગરીબીમાં પોતાની રાજકીય ફાયદો દેખાય છે. આ જ કારણ છે કે ઓડિશા સહિત દેશના એક મોટા ભાગને આટલા દાયકાઓ સુધી ખરાબ સ્થિતિમાં જીવવા માટે મજબુર કરાયો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...