નવી દિલ્હી: ચૌરી ચૌરા શતાબ્દી સમારોહ (Chauri chaura centenary celebrations) ના અવસરે સીએમ યોગી ગૃહ ક્ષેત્ર ગોરખપુરમાં શહીદ સ્મારક પર માળા અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આઝાદીની લડત દરમિયાન ઘટેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક ઘટનાના શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહોત્સવમાં ભાગ લીધો. આ અવસરે તેમણે એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ચૌરી ચૌરાની પવિત્ર ભૂમિ પર દેશ માટે બલિદાન થનારા, દેશના સ્વતંત્રતા સંગ્રામને એક નવી દિશા આપનારા વીર શહીદોના ચરણોમાં હું પ્રણામ કરું છું. આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. 100 વર્ષ પહેલા ચૌરી ચૌરામાં જે થયું તે ફફ્ત એક આગજનીની ઘટના, એક પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાની ઘટના ન હતી, ચૌરી ચૌરાનો સંદેશ ખુબ મોટો હતો, ખુબ વ્યાપક હતો. અનેક કારણોસર પહેલા જ્યારે પણ ચૌરી ચૌરાની વાત થઈ તેને માત્ર એક મામૂલી આગજનીની ઘટનાના સંદર્ભમાં જ જોવામાં આવી, પરંતુ આગજની કઈ સ્થિતિમાં થઈ, શું કારણ હતું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. 


PM Narendra Modi) એ કહ્યું કે આગ પોલીસ સ્ટેશનમાં નહતી લાગી, આગ જન-જનના હ્રદયમાં પ્રજ્વલિત  થઈ ચૂકી હતી. ચૌરી ચૌરાના ઐતિહાસિક સંગ્રામને આજે દેશના ઈતિહાસમાં જે સ્થાન આપવામાં આવી રહ્યું છે, તેના સંલગ્ન જે પ્રયાસ થઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. આજથી શરૂ થયેલો આ કાર્યક્રમ આખુ વર્ષ આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન ચૌરી ચૌરાની સાથે જ દરેક ગામ, દરેક ક્ષેત્રના વીર બલિદાનીઓને પણ યાદ કરવામાં આવશે. 


PM Narendra Modi)એ કહ્યું કે કોરોના કાળમાં ભારતે દુનિયાના 150થી વધુ દેશોના નાગરિકોની મદદ માટે દવાઓ મોકલી. ભારતે દુનિયાના અલગ અલગ દેશોથી પોતાના 50 લાખથી વધુ નાગરિકોને સ્વદેશ પરત લાવવાનું કામ કર્યું. જ્યારે  ભારતે અનેક દેશોના હજારો નાગરિકોને સુરક્ષિત તેમના દેશ મોકલ્યા. આજે ભારત પોતે કોરોનાની રસી બનાવી રહ્યું છે. દુનિયાના મોટા મોટા દેશો કરતા પણ ઝડપથી રસીકરણ કરી રહ્યું છે. ભારત માનવ જીવનની રક્ષા માટે દુનિયાભરમાં રસી પહોંચાડી રહ્યું છે. ત્યારે આપણા સ્વતંત્રતા સેનાનીઓના આત્માને ગર્વ મહેસૂસ થતું હશે. 


PM Narendra Modi) એ કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જેનો સીધો લાભ દેશના ખેડૂતોને થશે. આ તમામ નિર્ણય આપણા ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે, કૃષિને લાભનો વેપાર બનાવશે. આપણે સંકલ્પ લેવાનો છે- દેશની એક્તા આપણા માટે સૌથી પહેલા છે. દેશનું સન્માન આપણા માટે સૌથી મોટું છે. આ જ ભાવના સાથે આપણે દરેક દેશવાસીને સાથે લઈને આગળ વધવાનું છે. 


શું છે આ ચૌરી ચૌરા કાંડ?
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની પાસે એક કસ્બો છે ચૌરી ચૌરા. અહીં 100 વર્ષ પહેલા (4 ફેબ્રુઆરી 1922)ના રોજ ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગને હવાલે કરી હતી. જેમાં 22 પોલીસકર્મીઓના જીવ ગયા હતા. ભારતના સ્વતંત્રતા આંદોલન પર તેની મોટી અસર પડી હતી અને ત્યારથી જ તે ચૌરી ચૌરા કાંડ તરીકે ઓળખાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube