ચેન્નાઈ (સંવાદદાતા- રવિન્દ્રકુમાર, સચિન અરોરા): PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો 


પીએમ મોદી દ્વારા ભેટ કરવામાં આવેલી આ શાલની ખાસ વાત એ છે કે ચીની રાષ્ટ્રપતિની તસવીરવાળી આ શાલને હાથેથી બનાવવામાં આવી છે. કોઈમ્બતુર જિલ્લાના સિરુમુગિપુદ્દુરમાં શ્રી રામલિંગા સોદામબિગઈ હેન્ડલૂમ વણકર સહકારી સમિતિના વણકરો દ્વારા શીનું ચિત્ર શાલ પર કંડારવામાં આવ્યું છે. 



PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં


આ ચિત્ર શુદ્ધ રેશમ અને સોનાની જરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. 240 હુક ઈલેક્ટોરનિક જેક્વાર્ડે ચિત્ર પેટર્નને ડિઝાઈન કરવામાં મદદ કરી છે. જેને માસ્ટર વણકરો દ્વારા ઉપયોગમાં લેવાતા થ્રેડ પેટર્ન બનાવવામાં આવ્યાં. આ ખુબ જ શાનદાર શાલને બનાવવામાં પાંચ દિવસ લાગ્યા છે. 



ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચીત


નચિયારકોઈલ દીપ
પીએમ મોદીએ શી જિનપિંગને નચિયારકોઈલ દીપ પણ ભેટ કર્યો છે. આ દીપને નચિયારકોઈલ બ્રાન્ચનો અન્નમ દીપ (લેમ્પ) પણ કહેવામાં આવે છે. આ દીપને આઠ મશહૂર કલાકારોએ બનાવેલો છે. આ દીપ છ ફૂટ ઊંચો છે અને 108 કિગ્રા વજનનો છે. પીત્તળથી બનેલા આ દીપ પર સોનાની પતરું મઢેલો છે. તેને બનાવવામાં 12 દિવસ લાગ્યાં છે.


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...