નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશની રાજધાની દિલ્હીમાં સાંસદો માટે બનાવવામાં આવેલા નવા આવાસનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું અને કહ્યું કે અનેક ઈમારતનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયુ અને નિર્ધારિત સમય પહેલા પૂરું થયું. અત્રે જણાવવાનું કે ભગવાન દાસ માર્ગ પર ગંગા જમુના સરસ્વતીના નામથી ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે. જેમાં સાંસદો માટે 76 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરમજનક...કોરોના કટોકટીનો વેપલો? 1400 રૂપિયા આપો અને Corona પર ગમે તેવો રિપોર્ટ મેળવો


બજેટ કરતા 30 કરોડ ઓછા ખર્ચે તૈયાર થયા 76 ફ્લેટ
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે 76 ફ્લેટ બનાવવા માટે 218 કરોડ રૂપિયાનું બજેટ રખાયું હતું. જો કે તેમાં 30 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે. ઉદ્ધાટન સમયે પોતાના સંબોધનમાં ઓમ બિરલાએ મંત્રાલયને આ અંગે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે 'બીડી માર્ગ પર જે ક્ષેત્ર આવાસ છે, જે ત્રણ ટાવરો બનાવવામાં આવ્યા છે તેનું નામ ગંગા, જમુના અને સરસ્વતી રાખવામાં આવ્યું છે. તેના નિર્માણમાં 17 મહિના લાગ્યા અને 188 કરોડ રૂપિયા તેનો કુલ ખર્ચો થયો છે.'


Nagrota Encounter: વિઝા-પાસપોર્ટ વગર આ રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા આતંકીઓ


અમારી સરકારમાં થયું અનેક ઈમારતોનું નિર્માણ-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં જનપ્રતિનિધિઓ માટે આવાસની નવી સુવિધા માટે તમને બધાને શુભેચ્છા. આજે આપણા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીનો જન્મ દિવસ પણ છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે અનેક ઈમારતોનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયું અને નિર્ધારિત સમય પહેલા પૂરું પણ થયું. 


મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું Covid-19 સંક્રમણના કારણે નિધન, 3 દિવસ પહેલા હતો જન્મદિવસ


તેમણે વધુમાં કહ્યું કે અટલજીના સમયમાં જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી, તેનું નિર્માણ આ સરકારમાં થયું. 23 વર્ષોના લાંબા ઈન્તેજાર બાદ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ આ સરકારમાં થયું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોતનું જીવન આપ્યું છે. તેમની યાદમાં પણ નેશનલ પોલીસ મેમોરિયલનું નિર્માણ આ સરકારમાં થયું. 


બિલ્ડિંગમાં સાંસદોને મળશે તમામ સુવિધાઓ
આ તમામ આવાસ ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ પર આધારિત છે. દરેક ટાવરમાં ચાર લિફ્ટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત બે બાજુ સીડીઓ છે. ગંગા જમુના સરસ્વતીના નામથી તૈયાર થયેલા આ ત્રણેય ટાવરોની સુરક્ષા એકદમ ચુસ્ત છે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. 


મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન? DyCM બોલ્યા- સમીક્ષા પછી નિર્ણય, CM ઠાકરેએ કહ્યું- 'કોરોનાની લહેર નહીં સુનામી છે'


આગથી બચાવવા માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. CBWD એ તેનું નિર્માણ કર્યું છે. દરેક ટાવરની ઉપર સોલર પેનલ લગાવવામાં આવી છે. દરેક ટાવરના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. દરેક ફ્લેટમાં પંખા, એસી, સોલર લેમ્પ અને સંપૂર્ણ રીતે સાજ સજાવટ , મોડ્યૂલર કિચન તૈયાર કરવામાં આવ્યા છે. 


સાંસદોના ફ્લેટમાં 4 બેડરૂમ ઉપરાંત ઓફિસ અલગથી બનાવવામાં આવી છે. આ સાથે જ તેમના બે સ્ટાફ માટે અલગ સ્ટાફ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. જેમાં બે બાલકની બે હોલ 4 ટોયલટ પણ સામેલ છે. આ સાથે જ સાંસદોના આવાસમાં પૂજા ઘર પણ અલગથી બનાવવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube