નવી દિલ્હી: હવે દેશનો દરેક ગ્રામીણ સશક્ત બનશે. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના'  'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા સપના જોવાનો સમય
પીએમ મોદીએ કહ્યું કે સંપત્તિ કાર્ડ મળવાથી આજે લાભાર્થીઓ સૌથી વધુ ખુશ હશે. આજની સાંજ તેમના માટે ખુશીઓની સાંજ છે. નવા સપના જોવાનો સમય છે. આ અધિકાર કાનૂની દસ્તાવેજ છે. પીએમ મોદીએ કહ્યું કે આ સ્વામિત્વ કાર્ડ મળવાથી અનુસૂચિત જાતિ, પછાત, અને ગરીબ લોકોને ખુબ મદદ મળશે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube