નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે માનવ જાતિએ આવા કપરા સમયમાંથી પસાર થવું પડશે, આવા પડકારો વચ્ચે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ સાંભળનારા સાંસદોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે 50થી વધુ સાંસદોએ 13 કલાકથી વધુ સમય સુધી પોતાના વિચાર રજુ કર્યા. તેમણે પોતાના અમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા. આથી હું તમામ સાંસદોનો આભાર માનું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષ પર આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે અનેક પડકારો વચ્ચે રાષ્ટ્રપતિજીનું આ દાયકાનું પ્રથમ ભાષણ થયું. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે સમગ્ર વિશ્વ પટલ તરફ જોઈએ છીએ, ભારતના યુવા મનને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આજે ભારત સાચ્ચે જ એક અવસરોની ભૂમિ છે. અનેક અવસર આપણી રાહ જોઈ રહ્યા છે. જે દેશ યુવા હોય, જે દેશ ઉત્સાહથી ભરેલો હોય, જે દેશ અનેક સપનાને લઈને સંકલ્પ સાથે સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય તે દેશ આ અવસરોને ક્યારેય જવા દે નહીં. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન તમામ હાજર રહ્યા હોત તો લોકતંત્રની ગરિમા વધત. પરંતુ રાષ્ટ્રપતિનું અભિભાષણ એટલું પ્રભાવશાળી રહ્યું કે વગર સાંભળ્યે જ બધા સુધી વાત પહોંચી ગઈ. વિપક્ષ સાંભળ્યા વગર જ તેમના ભાષણ પર આટલું બધુ બોલી શક્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube