પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવે છે. સુલ્તાનપુર લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેને લઈને ચર્ચાઓ તેજ છે. તેમણે કહ્યું કે મોટરસાઈકલ ધરાવતા લોકોને પ્રધાનમંત્રી આવાસ મળી શકશે નહીં. જાણો તેમણે શું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સુલ્તાનપુર સાંસદ મેનકા ગાંધી પોતાના ત્રણ દિવસના પ્રવાસે સુલ્તાનપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ કાદીપુર બ્લોકમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે 33 યોગ્ય લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સ્વીકૃત પત્ર સોંપ્યો. 


બજેટ 2023 પહેલાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ, આ રાજ્યના નેતાઓને લાગશે લોટરી


ગરીબની પુત્રીએ કર્યો જબરદસ્ત કમાલ, પહેલીવારમાં બનાવ્યું એવું મશીન..વૈજ્ઞાનિકો અચંબિત


VIDEO જોઈને જ કહેશો કે ભારતનો ધાકડ ક્રિકેટર માંડ માંડ બચી ગયો, 100 ફૂટ ઘસડાઈ કાર...


રકમથી ખરીદાય છે મોટરસાઈકલ
સ્વીકૃત પત્ર આપ્યા બાદ તેમણે ત્યાં હાજર જનતાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે મે પોતે અનેક અપાત્ર લોકોના નામ યોજનામાંથી કપાવી નાખ્યા છે. તેમણે કહ્યું કે એક મોટરસાઈકલ લગભગ 80- 90 હજારની આવે છે. અનેક લોકો ઘર બનાવવાની જગ્યાએ ઘર માટે અપાયેલી રકમમાંથી મોટરસાઈકલ ખરીદી રહ્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube