નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ પોતાના પિતાના સંસ્મરણનો હવાલો આપી મીડિયામાં આવેલી કેટલીક વાતોને 'પ્રેરિત' ગણાવતા પ્રકાશકને વિનંતી કરી છે કે તે તેમની લેખિત સહમતિ સુધી પ્રકાશન રોકી રાખે. પરંતુ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ પોતાના ભાઈના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે, 'સસ્તા પ્રચાર' માટે પુસ્તકના પ્રકાશનને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્ર અભિજીતે કરી પ્રકાશન રોકવાની અપીલ
પૂર્વ સાંસદ અભિજીતે તે પણ કહ્યુ કે, તેમણે પુસ્તક 'ધ 'પ્રેસિડેન્શિયલ યર'નું પ્રકાશન રોકવા માટે રૂપા પ્રકાશનને પત્ર લખ્યો છે, જે તેનું પ્રકાશન કરી રહી છે. અભિજીતે રૂપા પ્રકાશન અને તેના મેનેજિંગ ડાયરેક્ટર કપિશ મેહરાને ટેગ કરતા ટ્વીટ કર્યુ, 'સંસ્મરણના લેખકનો પુત્ર હોવાને કારણે હું તમને લોકોને આગ્રહ કરુ છું આ પુસ્તક અને મારી સહમતિ વગર મીડિયાના કેટલાક ભાગમાં આવેલા પુસ્તકના પ્રેરિત અંશોનું પ્રકાશન બંધ કરવુ જોઈએ.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube