શ્રીલંકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં રેલીને સંબોધિત કરતા શ્રીલંકામા થયેલા ભયાનક વિસ્ફોટની નિંદા કરી. આ અંગે ત્યાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા અપાયેલા એક નિવેદન અનુસાર, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની સાથે પોતાની વાતચીત દરમિયાન મોદીએ ધાર્મિક સ્થળો પર થયેલા તબક્કાવાર વિસ્ફોટની આકરા શબ્દોમાં નિંદા કરી છે. 


ફેબ્રુઆરીમાં 8.61 લાખ નોકરીઓનું સર્જન થયું, EPFO ડેટામાં દાવો

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુમલાને નિર્મમ અને પૂર્વ આયોજીત ધ્રુણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને મોદીએ કહ્યું કે, આ હુમલો એકવાર ફરીથી આ ક્ષેત્ર અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ દ્વારા માનતવા સામે મુકાયેલા ગંભીર પડકારોને દર્શાવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાને એકવાર ફરીથી આતંકવાદ જેવા પડકારોથી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રીલંકાને દરેક શક્ય મદદ અને સહાયતા આપવા માટેની રજુઆત કરી છે. 
છત્તીસગઢમાં અલ્લા હૂ અકબર કહીને ફસાયો સિદ્ધુ, રાજ્યના શીખ સંગઠનોએ લખ્યો પત્ર

અમારા ક્ષેત્રમાં આ પ્રકારની ક્રુરતા માટે કોઇ જ સ્થાન નથી. મોદીએ કહ્યું કે, મરાયેલા લોકોનાં પરિવારજનોનાં પ્રતિ અમારી સંવેદના છે તથા ઘાયલો માટે અમારી પ્રાર્થના છે. મોદીએ ત્યાર બાદ રાજસ્થાનના ચિતોડગઢમાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે, શ્રીલંકામાં આતંકવાદીઓ દ્વારા અનેક નિર્દોષ લોકોની હત્યા કરી દેવાઇ. આ સમયે તેઓ ચર્ચામાં પ્રાર્થના કરી રહ્યા હતા અને ઇસ્ટર મનાવી રહ્યા હતા. 


BJPના વોશિંગ મશીનથી ધોવાઇ આતંકવાદનો 1 આરોપી દેશભક્ત બન્યા: ભૂપેશ

આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોનાં જીવ લઇ લીધો. હું પોતાની સંવેદના વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે, ભારત શ્રીલંકાની સાથે ઉભા છીએ અને સંકટની આ ઘડીમાં તેમની દરેક મદદ માટે તૈયાર છે.