નવી દિલ્હી: ભારત-ચીન (India-China) વચ્ચે લદાખ (Ladakh)  સરહદે ખુબ તણાવ  હોવા છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો મારવાની એક પણ તક છોડતા નથી. તેમણે લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયાની પૃષ્ઠભૂમિમાં બુધવારે સવાલ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ અંગે કેમ ચૂપ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'પ્રધાનમંત્રી કેમ ચૂપ છે? તેઓ છૂપાયેલા કેમ છે? હવે બહુ થઈ ગયું, આપણે એ જાણવાની જરૂર છે કે શું થયું છે.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'આપણા સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? આપણી જમીન પર કબજો જમાવવાની તેમની હિંમત કેવી રીતે થઈ?' નોંધનીય છે કે લદાખની ગલવાન ખીણમાં સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા. સેનાએ આ જાણકારી મંગળવારે આપી. 


લદાખ હિંસા: રાતના અંધારામાં થયેલી ઝડપમાં અનેક સૈનિકો નદીમાં કે ખીણમાં પડ્યા અને શહીદ થયા


અનિર્ણિત સરહદ ફરી બની તકરારનું કારણ
ભારત અને ચીન વચ્ચે સરહદ (India-China Border Dispute) ને લઈને વિવાદ છે. ભારત અંગ્રેજોના જમાનાની મેકમોહન લાઈનને સરહદ રેખા ગણે છે. પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે સરહદ રેખા અનેક જગ્યાએ અનિર્ણિત છે. બંને દેશોની સેનાઓ સરહદે પોતાની જમીન હોવાના દાવા કરે છે. જો કે આ વિવાદ સ્થાયી રહેતો નથી. આ જ રીતે પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનની સેના આગળ વધીને કેમ્પ લગાવીને બેસી ગઈ હતી. ત્યારબાદ ભારત ચીન વચ્ચે અધિકારી સ્તરે વાતચીત શરૂ થઈ. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બને દેશની સેનાઓ એપ્રિલમાં જ્યાં હતી તે પોઝિશન પર પાછી ફરે. 


કેવી રીતે શરૂઆત થઈ હિંસક ઝડપની?
15મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના 20 સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતાં. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા ક્યારે ફરી રહ્યાં છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતાં.  ચીનની જે સૈન્ય ટુકડી સાથે સંતોષ બાબુ વાત કરવા ગયા હતાં તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો. જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગહ 300થી 325 જેટલા ચીની સૈનિકો હાજર હતાં. 


સંતોષ બાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી કે ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયાં. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર 20 જ છે અને તેઓ 300 છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે. પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી. 


શરૂ થઈ ગઈ હાથાપાઈ અને મારપીટ
ચીનના 300 સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના 20 સૈનિકોને ઘેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોના હાથમાં ખિલ્લાવાળા મોજા પહેર્યા હતાં. તેમના ઈરાદા ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાના હતાં. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂક્યા હતાં આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ 20 સૈનિકો પર ઉતારવા માંગતા હતાં. પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ. 


20 ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના 35 બીજા સૈનિકો હાજર હતાં. તેઓએ વાયરલેસ પર આ ઝડપનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયાં. ત્યારબાદ 300 ચીની અને 55 ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝડપ શરૂ થઈ. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube