Railway Knowledge: તમે ઘણી વાર ટ્રેનમાં વાદળી અને લાલ રંગના કોચ જોયા હશે. જો કે, મોટાભાગની ટ્રેનોમાં વાદળી રંગના કોચ હોય છે, પરંતુ રાજધાની અને સુપરફાસ્ટ સહિતની પ્રીમિયમ વર્ગની ટ્રેનોમાં લાલ રંગના કોચ હોય છે. મોટાભાગના મુસાફરોને લાગતું હશે કે આમાં માત્ર રંગનો તફાવત હશે પરંતુ એવું નથી. આ બંને કોચ સલામતી અને સુવિધાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ્વેના કોચમાં ઘણો બદલાવ આવ્યો છે અથવા તો તેને સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યો છે. એક સમયે ટ્રેનની બોગી આછા લાલ કે કથ્થઇ રંગની હતી. પછી વાદળી કોચ દેખાવા લાગ્યા, ત્યારપછી હવે લાલ રંગની બોગીઓ વધુ દેખાય છે. ચાલો તમને જણાવીએ કે વાદળી અને લાલ રંગના આ કોચ કેવી રીતે અલગ છે.


આ પણ વાંચો
આજથી બેંકો થઈ જશે 'ફૂલ ગુલાબી'! 2 હજારની નોટો બદલાવાનું શરૂ, જાણો લેટેસ્ટ અપડેટ
સિદ્ધપુરની પાઈપલાઈનામાંથી મળેલી લાશના ટુકડા લવિનાના હતા, DNA રિપોર્ટમાં થયો ખુલાસો
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!


ICF અને LHB કોચ શું છે?
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, તેથી રેલ એ દેશમાં પરિવહનનું સૌથી વ્યસ્ત માધ્યમ છે. ભારતીય રેલ્વેમાં 2 પ્રકારની કોચ સેવાઓ છે. આ ICF (Integral Coach Factory) અને LHB (Linke Hofmann Busch) છે.


ICF કોચ સ્ટીલના બનેલા હોય છે અને તેની કોડલ લાઈફ 25 વર્ષ હોય છે, તેથી આ સમયગાળા સુધી તેનો ઉપયોગ પેસેન્જર બોગી તરીકે કરવામાં આવે છે અને પછી તેને સેવામાંથી પાછી ખેંચી લેવામાં આવે છે. જ્યારે, LHB કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે અને 30 વર્ષની કોડલ લાઈફ ધરાવે છે. હાલમાં મોટાભાગની ટ્રેનોમાં લાલ રંગના એલએચબી કોચ છે. મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ, રાજધાની, શતાબ્દી, ડોરટન અને તેજસ જેવી તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાવવામાં આવ્યા છે.


અકસ્માત નિવારણના સંદર્ભમાં એલએચબી કોચ વધુ સારો
ICF કોચ કરતાં LHB કોચ વધુ સારા અને સુરક્ષિત હોય છે. એલએચબી કોચ એન્ટિટેલેસ્કોપિક ડિઝાઇન હેઠળ બનાવવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ એકબીજા સાથે અથડાતા નથી અને સરળતાથી નીચે પડતા નથી. એલએચબી કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે, જે અકસ્માતના કિસ્સામાં વધુ સેફ છે.


આ પણ વાંચો
ગરમીમાં કિસમિસનું સેવન શરીર માટે ફાયદાકારક, એકવાર જાણી લો...
Daily Horoscope: મંગળવારે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીના આશીર્વાદ, આજે થશે ધન લાભ
ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો મોટો નિર્ણય, જાણી લો કાલથી 2000ની નોટ ચાલશે કે નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube