જયપુર: રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં આજે હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. વિધાનસભા સ્પીકર દ્વારા અપાયેલી નોટિસ પર હાલ સ્ટે મૂક્યો છે. એટલે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી શકશે નહીં. જો કે અન્ય મામલાઓને લઈને હજુ પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આગળની સુનાવણીમાં આ મામલે કાયદા પર ચર્ચા કરવામાં આવશે. શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પીકરના એક્શન પર સ્ટે મૂક્યો અને યથાસ્થિતિ જાળવવા જણાવ્યું. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube